ચીસ નવલકથામાં ઠાકુર સાહેબનાં બે સંતાનો આલમ અને ઈલ્તજા માતાના મૃત્યું પછી એકલાં રહે છે. એક વાર અડધી રાત્રે હવેલીમાં આવતા અવાજો શબનમને હવેલી સુધી દોરી જાય છે. ચુપચાપ હવેલીમાં પહોંચી ગયેલી શબનમ બન્ને ભાઈ બહેનને કઢંગી હાલતમાં જોઈ લે છે... એને જાણવા મળે છે કે બન્ને બાળકોના શરીરમાં બે પ્રેતાત્માઓ વસે છે... બસ પછી સર્જાય છે રહસ્યોના અંત સુધી લઈ જતી એક સનસનીખેજ હોરર કથા..... હોરરસ્ટોરીના બાદશાહ ગણાતા સાબીરખાન પઠામની કલમે લખાયેલી એક દિલધડક દાસ્તાન...