Santcharitro ane Chintan

· Gurjar Prakashan
4,6
16 recenzí
E‑kniha
286
Stránky
Vhodná
Hodnocení a recenze nejsou ověřeny  Další informace

Podrobnosti o e‑knize

 ધર્મને પ્રભાવિત કરનારાં ચાર તત્ત્વો છે: (1) ઋષિ (2) આચાર્ય (3) સાધુ અને (4) સંત. ઋષિની વાણી આર્ષ હોય છે. પૂર્વગ્રહ વિનાની અને પક્ષપાત વિનાની વાણીને આર્ષ કહેવાય. ઋષિઓ શાસ્ત્રો રચે છે અને તેને લોકો સુધી પહોંચાડે છે. આચાર્યો ભાષ્યો રચે છે. મૂળ શાસ્ત્રને વધુ સ્પષ્ટ કરવા ભાષ્યો રચાતાં હોય છે, પણ પ્રથમથી જ એક સિદ્ધાંત નક્કી થઈ ગયા પછી તે પક્ષપાત મુક્ત રહી શકતાં નથી. માનો કે તમારે ગીતા ઉપર ભાષ્ય લખવું છે પણ પ્રથમથી જ તમે અદ્વૈતવાદ, દ્વૈતવાદ કે બીજો કોઈ વાદ મનમાં નક્કી કરી લીધો છે. હવે તમે ગીતાનું જે ભાષ્ય લખશો તે ગીતાનું ઓછું અને તમારું વધારે થઈ જશે. આ રીતે ખેંચતાણ શરૂ થતી હોય છે. સાધુઓ, ઋષિઓ અને આચાર્યોની વાણી અથવા સિદ્ધાંતોને ભણતા-ભણાવતા હોય છે અને પ્રચાર કરતા હોય છે. પણ જો તેઓ કોઈ આચાર્યના ચુસ્ત અનુયાયી થઈ જાય તો તે સાંપ્રદાયિક થઈ જતા હોય છે. જેથી પોતપોતાના સંપ્રદાયનો પ્રચાર કરતા થઈ જતા હોય છે. જો સાંપ્રદાયિક ન થાય તો ઋષિઓને અનુસરતા થાય છે. પણ આવું થવું દુર્લભ છે. વ્યક્તિ ચોકઠામાં ગોઠવાતો હોય છે, કારણ કે ચોકઠામાં સુરક્ષા હોય છે—સગવડો હોય છે પણ સાથેસાથે સીમિતતા પણ હોય છે. વ્યાસ જેવા ઋષિઓ સૌના છે, કારણ કે ચોકઠું નથી; પણ શંકરાચાર્ય જેવા આચાર્યો સૌના નથી થઈ શકતા, કારણ કે ચોકઠું બનાવ્યું છે. સાધુઓ આવા જુદાજુદા ચોકઠામાં ગોઠવાઈ જતા હોય છે, પણ આ બંનેથી સંતો અલગ હોય છે. એક તો તે સ્વંયભૂ હોય છે. તેમનામાં અમુક દૈવી તત્ત્વો જન્મજાત હોય છે. જે જન્મજાત હોય છે તે જ જીવનભર ચાલે છે. આરોપિત તત્ત્વ લાંબું ચાલતું નથી. જો ત્યાગ-વૈરાગ્ય જન્મજાત હોય તો જ જીવનભર ચાલી શકે છે. નહિ તો સમય જતાં તે ઢીલાં થઈ જાય છે. ભારતમાં જ નહિ વિશ્વભરમાં સંતો થયા છે અને થાય છે. મારી દૃષ્ટિએ સંતો ત્રણ પ્રકારના હોય છે: (1) ભજન કરનારા (2) સેવા કરનારા અને (3) સમાજ-સુધારો કરનારા. મારી વ્યાખ્યા પ્રમાણે જે પરહિતકારી હોય તેને સંત કહેવાય. પર એટલે માત્ર પોતાના સંપ્રદાયના જ નહિ, માનવમાત્રના.

Hodnocení a recenze

4,6
16 recenzí

O autorovi

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Ohodnotit e‑knihu

Sdělte nám, co si myslíte.

Informace o čtení

Telefony a tablety
Nainstalujte si aplikaci Knihy Google Play pro AndroidiPad/iPhone. Aplikace se automaticky synchronizuje s vaším účtem a umožní vám číst v režimu online nebo offline, ať jste kdekoliv.
Notebooky a počítače
Audioknihy zakoupené na Google Play můžete poslouchat pomocí webového prohlížeče v počítači.
Čtečky a další zařízení
Pokud chcete číst knihy ve čtečkách elektronických knih, jako např. Kobo, je třeba soubor stáhnout a přenést do zařízení. Při přenášení souborů do podporovaných čteček elektronických knih postupujte podle podrobných pokynů v centru nápovědy.