Tamilnaduni Yatra

· Gurjar Prakashan
4,9
27 կարծիք
Էլ. գիրք
94
Էջեր
Կարելի է ավելացնել
Գնահատականները և կարծիքները չեն ստուգվում  Իմանալ ավելին

Այս էլ․ գրքի մասին

તમિળો દ્રવિડ છે અને મહાન પ્રજા છે. ઐતિહાસિક પ્રજા છે. અહીં ચેર, ચૌલ, પાંડ્ય, નાયક વગેરે વંશોએ દૂર દૂર સુધી રાજ્ય કર્યું છે. શ્રીલંકા ઉપર પણ વર્ષો સુધી રાજ કર્યું છે. આ રાજા-મહારાજાઓએ જે મંદિરો બાંધ્યાં છે તે વિશ્વની ઉત્કૃષ્ટ કારીગરી છે. તેનું ગૌરવ લઈ શકે છે. આપણા ગુજરાત ઉપર મોટા ભાગે બહારના લોકોએ રાજ કર્યું છે. ગુજરાતના રાજાઓ પણ બહારના અને ધર્મગુરુઓ પણ બહારના. ગુજરાતે પોતાના માણસોની યોગ્ય કદર કરી નથી. કદાચ ગુલામી માનસ કારણ હોય. તામિલો મુસ્લિમો સામે ટકી ન શક્યા. અને મુસ્લિમો અંગ્રેજો સામે ટકી ન શક્યા. અહીંનાં ભવ્ય મંદિરો સોનાચાંદીથી ઊભરાતાં અને તેને લૂંટવા દિલ્લીના સુલતાનો—બાદશાહો વારંવાર લશ્કર મોકલતા. અહીં વિજયાનગરમ્ મોટું સામ્રાજ્ય હતું. પણ તે પણ મુસ્લિમો સામે ટકી ન શક્યું. ઊતરતી સેના, ઊતરતાં શસ્ત્રો અને પ્રથમ આક્રમણ કરીને શત્રુને તેની જ ધરતી પર ધૂળ ચાટતો ન કરવાની નીતિથી રાજાઓ હારતા રહ્યા. દિલ્લી અને દેશના બીજા મુસ્લિમ શાસકોનો પ્રજાને સારો અનુભવ ન રહ્યો તેથી જે માન-પ્રેમ અંગ્રેજો પ્રત્યે હજી પણ લોકોને છે તે મુસ્લિમ શાસકો પ્રત્યે નથી રહ્યું. ગુજરાતમાં સૌથી મોટાં મંદિરો, અંબાજી, દ્વારકા, ડાકોર વગેરે છે. ત્યાં મેળાના દિવસોમાં જે ભીડ થાય છે તેથી પણ વધારે ભીડ અહીંનાં મુખ્ય મંદિરોમાં રોજ થાય છે. પણ લાઇનબંધ દર્શન કરવાની વ્યવસ્થાથી ધક્કામુક્કી નથી થતી. ઉત્તર ભારતનાં તીર્થોમાં જે પંડ્યાઓનો ત્રાસ છે તે અહીં નથી. અહીંના બ્રાહ્મણો પ્રખર બુદ્ધિશાળી અને અપેક્ષાકૃત સાત્ત્વિક છે. ભારતમાં મોટા ભાગનાં નોબલ પારિતોષિક અહીંના બ્રાહ્મણોએ લીધાં છે. રોકેટ અને મિસાઇલના ક્ષેત્રમાં અહીંના બ્રાહ્મણોની બોલબાલા છે. તામિલનાડુનું રાજકારણ ઉત્તરની તુલનામાં સારું કહેવાય. જોકે દૂષણો તો બધે જ છે.

Գնահատականներ և կարծիքներ

4,9
27 կարծիք

Հեղինակի մասին

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Գնահատեք էլ․ գիրքը

Կարծիք հայտնեք։

Տեղեկություններ

Սմարթֆոններ և պլանշետներ
Տեղադրեք Google Play Գրքեր հավելվածը Android-ի և iPad/iPhone-ի համար։ Այն ավտոմատ համաժամացվում է ձեր հաշվի հետ և թույլ է տալիս կարդալ առցանց և անցանց ռեժիմներում:
Նոթբուքներ և համակարգիչներ
Դուք կարող եք լսել Google Play-ից գնված աուդիոգրքերը համակարգչի դիտարկիչով:
Գրքեր կարդալու սարքեր
Գրքերը E-ink տեխնոլոգիան աջակցող սարքերով (օր․՝ Kobo էլեկտրոնային ընթերցիչով) կարդալու համար ներբեռնեք ֆայլը և այն փոխանցեք ձեր սարք։ Մանրամասն ցուցումները կարող եք գտնել Օգնության կենտրոնում։