આ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા વડતાલ આવી દર પૂર્ણિમાએ એક પાઠ કરે તો તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, નવધા ભક્તિની પુષ્ટિ થાય છે, આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ અક્ષયફળની પ્રાપ્તિ સાથે ભગવાન શ્રીહરિની પ્રસન્નતાનું પાત્ર બને છે.
તથા આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક દરરોજ અગિયાર પાઠ કરવાથી મનુષ્યનાં ઋણ, દુ:ખ, દારિદ્રય, રોગ, શોક, ભય, શત્રુ બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યાની પ્રાપ્તિ સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારેય પુરુષાર્થને નિશ્ર્ચે પામે છે એમાં કોઈ સંશય નથી તેથી ત્યાગી-ગૃહી સર્વે જનોએ પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો નિત્ય પ્રત્યે પાઠ કરવો.